અનેક પાનાંવાળું, સુઘડ રીતે બીડાએલું.
પાને પાને નવીન ઘટનાઓ, સ્મરણો અને
અવનવા અફ્સાનાઓથી કોતરાએલું પુસ્તક;
ગમ, આનંદ, વ્યથા અને ઉપહાસ;
છે એની દરેક કથનીનું
આગવું કરણ, કારણ અને આકર્ષણ.
છતાં, જીવનના આ ગ્રંથને અટવાતો ય જોયો,
વિધિની વક્રતાઓમાં કંઈક એમ ,
કે ચીતરાયું હોય ઘણુંય એનાં પૃષ્ઠોમાં,
પણ, ન પામે એકાદ કોઈ નાજુક નમણું કાવ્ય
એમાં મુદ્રણ;
જેના શબ્દે શબ્દ, છંદે છંદ, અને લયે લયને
સમાવવાની ભાંજઘડમાં
જીવાઈ જાય અનેક વિધ કાવ્યો;
અને એ મનગમતી કવિતાના પ્રાસ તો પછી
મળતા રહે; ક્યાંક ત્રુટક ત્રુટક અકસ્માતે;
અધુરપોમાંથી ટપકતા એવા પૂર્ણ થકી જ,
એમ અથથી ઇતિ સુધી વંચાઈ ગયા પછી પણ,
ઘણી વેળા સ્વયં પુસ્તકને શાતા મળતી નથી;
કે યથાર્થ રૂપે સમજનાર આગળ એને વાચા મળતી નથી;
ને વિધાતાલિખિત ભવપોથીનાં, ગુઢાર્થપૂર્ણ એ પાનાં,
